એક શરૂઆત. બે ભાઈઓ. એક જ વિશ્વાસ — ગુણવત્તામાં કોઈ સમાધાન નહીં.
વર્ષ 2000માં જયેશભાઈ અને કલ્પેશભાઈએ એક નાની કિરાણા દુકાનથી પોતાની સફર શરૂ કરી. ગ્રાહકોને સારો અને વિશ્વસનીય માલ આપવાની આદત સાથે જ તેઓએ આખા મરચાંનું વેચાણ શરૂ કર્યું.
ગ્રાહકોનો વિશ્વાસ વધતો ગયો, અનુભવ વધતો ગયો અને સાથે વધતી ગઈ શ્રેષ્ઠ સ્વાદ આપવાની જવાબદારી. ધીમે ધીમે પસંદગીના મસાલા અને વિવિધ પ્રોડક્ટ્સ સાથે આ સફરે Srikar Masalaનું સ્વરૂપ લીધું.
આજે પણ અમારી વિચારસરણી એ જ છે — સાચી ગુણવત્તા, અસલી સ્વાદ અને દરેક રસોડા સાથે વિશ્વાસનો સંબંધ.